Type Here to Get Search Results !

Today History Gujarati gk 03 April નો ઈતિહાસ

03 એપ્રિલ નો ઈતિહાસ


 

03 એપ્રિલ નો ઈતિહાસ

03 એપ્રિલ નો ઈતિહાસ મહત્વપૂર્ણ ઘટનાઓ

જનરલ સામ માણેકશા

જનરલ સામ માણેકશાના નામે પ્રખ્યાત ભારતીય સેનાના પૂર્વ પ્રમુખની આજે જન્મજયંતિ છે. તેમના સાહસ અને નિર્ણયશક્તિથી વર્ષ 1971માં પાકિસ્તાન સામેના યુદ્ધમાં ભારતે જીત હાંસલ કરી હતી હતી. તેઓ સામ માણેકશા અને સેમ બહાદુર (“સેમ બ્રેવ”)ના નામે પણ ઘણા પ્રખ્યાત છે.

સામ હોરમૂસજી ફરામજી જમશેદજી માણેકશાનો જન્મ 3 એપ્રિલ, 1914ના રોજ અમૃતસર શહેરમાં એક પારસી પરિવારમાં થયો હતો. આમ તો તેમનો પરિવાર મૂળ ગુજરાતના વલસાડ શહેરમાંથી પંજાબના અમૃતસરમાં વસ્યો હતો. તેમણે અમૃતસરમાં પ્રારંભિક શિક્ષણ મેળવ્યા બાદ નૈનીતાલની શેરવુડ કોલેજમાં દાખલ થયા હતા. ત્યારબાદ ઇન્ડિયન મિલિટ્રી એકેડમીની પહેલી બેન્ચમાં પસંદગી પામનાર 40 વિદ્યાર્થીઓ પૈકીના તેઓ એક હતા.

વર્ષ 1969માં સામ માણેકશાને સેના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. તેઓ વર્ષ 1979ની ભારત-પાકિસ્તાની લડાઇ દરમિયાન ભારતીય સેનાના આર્મી સ્ટાફના વડા હતા અને ફિલ્ડ માર્શલના હોદ્દા પર બઢતી મેળવનારા ભારતીય સેનાના પ્રથમ અધિકારી હતા. તેમની સક્રિય લશ્કરી કારકિર્દી ચાર દાયકા અને પાંચ યુદ્ધો સુધી ફેલાયેલી હતી, જેની શરૂઆત બીજા વિશ્વયુદ્ધમાં બ્રિટિશ ભારતીય સેનામાં સેવાથી થઈ હતી.

સામ માણેકશાના દેશપ્રેમ અને નિસ્વાર્થ સેવા અનુલક્ષી તેમને 1972માં પદ્મવિભૂષણ તથા 1 જાન્યુઆરી 1973ના રોજ ફીલ્ડ માર્શલના માનદ પદ થી સમ્માનિત કરવામાં આવ્યા હતા. ચાર દાયકાઓ સુધી દેશની સેવા કર્યા બાદ સામ બહાદુર 15 જાન્યુઆરી 1972ના ફીલ્ડ માર્શલના પદ થી સેવાનિવૃત્ત થયાં હતા. વૃદ્ધાવસ્થામાં ફેફસાની બીમારી થઈ હતી અને કોમામાં ચાલ્યાં ગયા હતા. તેમનું મૃત્યુ વેલિંગટનના સૈન્ય રુગ્ણાલયના આઈસીયુમાં રાત્રે ૧૨.૩૦ વાગ્યે થયું હતું

 

  • 1922 – જોસેફ સ્ટાલિનને સોવિયેત કમ્યુનિસ્ટ પાર્ટીની સેન્ટ્રલ કમિટીના જનરલ સેક્રેટરી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.
  • 2001 – અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન ભારત પહોંચ્યા, ભારત અને ડેનમાર્ક વચ્ચે ચાર વર્ષ પછી ફરી વાતચીત થઈ.
  • 2002 – પાકિસ્તાનના રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફની જનમત યોજનાને કેબિનેટની મંજૂરી મળી.
  • 2006 – નેપાળમાં માઓવાદીઓએ યુદ્ધવિરામની જાહેરાત કરી.
  • 2007- દિલ્હીમાં 14મી સાર્ક પરિષદશરૂ થઈ.
  • 2008 – પ્રકાશ કરાત ફરીથી CPI(M)ના મહાસચિવ તરીકે ચૂંટાયા. મેધા પાટકરને રાષ્ટ્રીય ક્રાંતિવીર પુરસ્કાર મળ્યો.

 

ઈતિહાસ : 02 એપ્રિલ

03 એપ્રિલ નો ઈતિહાસ જન્મજયંતિ

  • કમલા દેવી ચટ્ટોપાધ્યાય (1903) – સમાજ સુધારક, સ્વાતંત્ર્ય સેનાની તેમજ ભારતીય હસ્તકલા ક્ષેત્ર નવજાગરણ લાવનાર ગાંધીવાદી મહિલા.
  • સામ માણેકશા (1914) – ભારતીય સેનાના ભૂતપૂર્વ પ્રમુખ, જેમના નેતૃત્વમાં ભારતે 1971માં ભારત-પાકિસ્તાન યુદ્ધ જીત્યું હતું.
  • ઓલેસ ગોનચર (1918) – પ્રખ્યાત યુક્રેનિયન લેખક અને નવલકથાકાર.
  • નિર્મલ વર્મા (1929) – લેખક
  • મન્નુ ભંડારી (1931) – લેખક
  • હરિહરન (1955) – ભારતના પ્રખ્યાત ગઝલ ગાયક અને પ્લેબેક સિંગર.
  • જયા પ્રદા (1958) – હિન્દી ફિલ્મોની અભિનેત્રી અને રાજકારણી.

 


ઈતિહાસ : 01 એપ્રિલ

03 એપ્રિલ નો ઈતિહાસ પૃણ્યતિથિ

  • નિઝામુદ્દીન ઓલિયા (1325) – ચિશ્તી સંપ્રદાયના ચોથા સંત.
  • શિવાજી (1680) – મરાઠા સામ્રાજ્યના સ્થાપક.
  • વિષ્ણુ સહાય (1989) – અસમ અને નાગાલેન્ડના રાજ્યપાલ હતા.
  • અનંત લાગુ (2010) – ઇન્ડિયન કોમ્યુનિસ્ટ પાર્ટીના સ્થાપક સભ્યો પૈકીના એક હતા.
  • કિશોરી અમોનકર (2017) – હિન્દુસ્તાની શાસ્ત્રીય પરંપરાના અગ્રણી ગાયકોમાંના એક અને જયપુર ઘરાનાના અગ્રણી ગાયિકા.
  • રાધેશ્યામ ખેમકા (2021) – પ્રખ્યાત પત્રકાર અને લેખક હતા.

 

ઈતિહાસ : 02 એપ્રિલ

ઈતિહાસ : 01 એપ્રિલ

માર્ચ ઈતિહાસ

ફેબ્રુઆરી ઈતિહાસ

જાન્યુઆરી ઈતિહાસ

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.